ગુજરાતના પાટીદાર પરિવારોની રક્ષા કરતી એક માત્ર સંસ્થા.
પાટીદાર ખેડૂતોની રક્ષા કરતી એક માત્ર સંસ્થા.
પાટીદાર યુવાનોને રોજગારની તકો અપાવતી એક માત્ર સંસ્થા.
પાટીદાર સમાજની બહેન-દીકરીઓની રક્ષાની વ્હારે આવતી એક માત્ર સંસ્થા.
૨૪ (ચોવીસ) કલાક પાટીદાર સમાજની રક્ષા કરતી એક માત્ર સંસ્થા.
૨૪ (ચોવીસ) કલાક મળતી લોહીની સહાય.
કેળવણી વિષયક બાલવાડી, બાલમંદિર, પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, બુનીયાદી સ્થાપવી, ચલાવતી અને નિભાવવી.
સ્નાતક કોલેજો , બી.ઍડ.કોલેજો, ટેકનીકલ સંસ્થાઓ, કન્યા શાળાઓ, પુસ્તકાલયો સ્થાપવા અને ચલાવવા.
પ્રોઢ શિક્ષણના વર્ગો, રાત્રીશાળાઓ, વૃધા આશ્રમો, અનાથ આશ્રમો, ઘોડીયાઘર, નારીસરંક્ષણ ગૃહો, છત્રાલયો, ધર્મશાળાઓ તથા શિક્ષણ સંબંધી તમામ પ્રવૃતિ કરવી.
કેળવણી દ્વારા સમાજમાં નીરક્ષતાનું આયોજન થાય તેવી તમામ પ્રવૃતિઓનું આયોજન કરવું તથા સમાજના ઉપયોગી એવા તમામ કર્યો કરવા.
ગરીબ અને પછાત વર્ગ ના તમામ બાળકો માટે ચોપડીઓ, ગણવેશ, નોટબુકો અને સ્કોલરશીપ આપવી અને અપાવવી, હોંશિયાર બાળકોને ઈનામ આપી પ્રોત્સાહિત કરવા તથા ઉચ્ચ અભ્યાસ માટે આર્થિક મદદ કરવી.
આરોગ્ય અને સ્વાસ્થ્યના માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, દવાખાના, હોસ્પિટલો, આયુર્વેદિક સંસ્થાઓ, નસીઁગહોમ રીસચૅ સેન્ટરો સ્થાપવા.
ટ્રસ્ટ્ના ઉપક્રમે બ્લડ ડોનેશન, નેત્રદાન, રોગનિદાન કેમ્પનુ આયોજન કરવું તથા જરૂરિયાતવાળા લોકોને વ્યાજબી દરે સારવાર તથા વ્યાજબી ભાવે દવાઓ મળી રહે તેવા પ્રયત્નો કરવા.
ગંભીર પ્રકારના રોગો જેવા કે કેન્સર, ટી.બી, એડ્સવિશે નિષ્ણાતોની મદદથી સારવાર તથા જાણકારી આપવી તથા જરૂરિયાતવાળા લોકોને સારવાર માટે મદદ કરવી.
રસ્તાઓ પર થતા અકસ્માતો વખતે મદદ કરતા દવાખાના, એમ્બ્યુલન્સ વાન, મેટરનિટીહૉલ તથા અન્ય સાધન-સામગ્રીની વ્યવસ્થા કરવી.
યુવાનોના વિકાસ અને રાષ્ટ્રીય એકતાની ભાવના વિકાસ પામે તે માટે નાટકો, સાંસ્કૃતિક કાર્યક્રમો, વકતૃત્વ સ્પર્ધાઓ, શિબીરો, સેમિનારો, ચેરેટીશો અને રમત-ગમતની હરીફાઈ યોજવી.
રોજગારલક્ષી તાલીમ વર્ગો જેવા કે શીવણ, એમ્બ્રોઈડરી, ભરત-ગૂંથણ, હસ્તકલા, મેદીના વર્ગો, રેડિયો-ટી.વી ના વર્ગો , વાયરમેનના વર્ગો સ્થાપવા અને ચલાવવા.
ટાઇપ, સ્ટેનોગ્રાફી, જે.સી.બીના વર્ગો, કોમ્પ્યુટરના વર્ગો ઇન્ફર્મેશન ટેકનોલોજીના વર્ગો, આઇ.ટી.આઈના વર્ગો, વ્યવસાયીક શાળાઓ સ્થાપવી અને ચલાવવી.
સંકલિત બાળવિકાસ કાર્યક્રમ હેઠળ આગણવાડીઓ તથા આઈ.સી.ડી.એસ એકમો, બાળ-વિજ્ઞાન મેળાઓ, બાળ કલ્યાણની પ્રવૃતિઓ ચલાવવી.
અંધ-અપંગ, નિરાધાર, બેરા-મૂંગા બાળકો તથા વિધવા મહિલાઓને મદદ કરવી, રોજગારી આપવી તથા સરકારશ્રીના મળતા લાભો આપવા.
યુધ્ધો, અતિવૃષ્ટિ, આગ, ધરતીકંપ, વાવાઝોડા જેવી કુદરતી આફતો, માનવસર્જિત આફતો વખતે લોકોને મદદ કરવી, ઢોરો માટે પાજરાપોળો કેમ્પો, રાહત કેમ્પો ચલાવવા તથા સરકારશ્રીના સાથે સંલગ્ન રહી કામગીરી કરવી.
કેળવણી દ્વારા સમાજના લોકોને માનસિક, આધ્યમિક, નૈતિક, બૌધિક તથા વિકાસ ની તમામ પ્રવૃત્તિઓ ચલાવવી.
પર્યાવરણના વિકાસ માટે રણ અટકાવવા, જમીનોનું ધોવાણ અટકાવવું, વૃક્ષોનું વાવેતર કરવું, તેનું જતન કરવું તથા વૃક્ષારોપણ ના કાર્યો કરવા.