Mardeshwar mahadev 4.37

4.5 star(s) from 58 votes
palikanda
Shehera, 389210
India

About Mardeshwar mahadev

Contact Details & Working Hours

Details

શેહરા તાલુકાના શેહરા ગામ થી ૧ કી.મી દુર તળાવ ની પૂર્વ દિશામાં અગ્નિ ખુના નાં ટેકરા ઉપર આવેલ મરડેશ્વરમહાદેવ સુપ્રસિદ્ધ છે મરડેશ્વર મહાદેવ સ્વયંભુ પ્રગટ થયેલા છે.
પોરાણિક શિવાયલ લુણાવાડા અને ગોધરા ની મધ્યમાં મુખ્ય ધોરીમાર્ગ પર આવેલું છે
શેહરા નું મૂળ નામ શિવપુરી હતું શેહરા ના ની દિવ્ય ધરતી ઉપર મરડેશ્વરના કોતરોની પાસે શિવજી સ્વયં પ્રગટ થયા હતા આ સ્થળ ઉપર ભદ્રસેન નામ નાં શિવભક્ત શિવજી ની પાસના ને અનુષ્ઠાન કરી રુદ્ર્પુજ્નમાં તલ્લીન રહેતા હતા જેના કારણે તેમની કયા કૃષ્ અને માથા ઉપર જટા વધી ગઈ હતી .
એક વખત દુશ્મન દળો આવી પહોચ્યા રાજ્યમંત્રી તપસ્વી પાસે આવ્યા જેથીતેમના તપમાં બધા પડી તપસ્વીના તપ અટકી ગયા માટી નાં શિવલિંગજે તપસ્વીએ તપ માટે બનાવેલા હતા તે શિવલિંગ ના ઢગલા પડી રહ્યા મુની મહારાજ મુદેશ્વર આમ તેમ પડેલા શિવલિંગ નાં ઢગલા ને જોઈને નમન કરીને અટકી ગયા ને ધ્યાન ધરી ત્યાં અંજલિ અર્પણ કરી ત્યાં જ સદાશિવ પ્રગટ થયા અને શહેર માં નિવાસ કર્યો ભદ્રસેનનાં તપથી પાવન થયેલી ભૂમિ શિવજી વાસ કરવા લાગ્યા યવનો ના ત્રાસ થી આ સ્થળ પ્રવિત્ર ન રહેતા તે સ્થળ છોડી દેવાનો શિવે નિર્ણય કર્યો તે પહેલા તેઓએ ત્યાં રહેતા નાગર શિવભક્ત નાથજીબાબાને સ્વપ્રમાં દર્શન દઈ આજ્ઞા કરી સ્વપ્રમાં શિવજીનો આદેશ સાંભળી તેમણે શિવાલય નું નિર્માણ કર્યું મંગળગીરી મહારાજે ધૂણીધકાવી શિવમય થઇરહ્યા અને મરડેશ્વર બની રહ્યા
આ પ્રવિત્ર શિવલિંગ વિશેષતા એ છે કે તે પથ્થરમાંથી બનેલું નથી શિવલિંગ “રમડ” નામની માટી માંથી બનેલુ છે શિવલિંગ ના ખાડા માં પવિત્ર જળ વહેતું જોવા મળે છે શિવભક્તો શિવજીની પ્રસાદી સમજી ચરણામૃત લઈને ધન્ય ગણે છે ખાડા નું પાણી ખાલી કરવા નો પ્રયતકરવા માં આવે તો સ્વયં ભરાઈ જ રહે ભરાઈ જાય છે જેના કારણેતેને શિવજી ની જટામાંથી વહી ગંગા તરીકે પૂજનીય ગણવામાં આવી રહી છે દર વર્ષે શિવલિંગ ચોખા જેટલું વધતું હોવાની માન્યતા છે મંદિર ની બાજુમાં ૩૫૦ વર્ષ પુરાની વાવ આવેલી હતી જેમાં એક ગુપ્ત રસ્તો કે કાશીમાં વસતા કાશીનાથ ને મળે છે તેવું શિવભકતો મુખે સાભળવા મળી રહ્યું છે
વિરાટ શિવલિંગ એવું ઉચા સ્થાન ઉપર છે કો તેનું પૂજન કરવા માટે લિંગ ની આજુબાજુ બનાવેલી પાળી ઉપર ચઢવું પડે છે .
વિરાટ શિવલિંગ રૂદ્રાક્ષના મણકાની જેમ ખરબચડી સપાટી વાળું છે મરડેશ્વર મહાદેવ ના અનેક પરચાછે શ્રાવણ માસમાં અને શિવરાત્રી તાણમોટા પ્રમાણ માં માનવ મહેરામણ ઉમટી પડે છે